Change Language
ગિરનાર

ઇતિહાસ

Scroll down

ભરત મહારાજા

આ અવસર્પિણીમાં આદેશ્વરદાદાના પુત્ર ભરતમહારાજાએ સૌ પ્રથમ વાર સંઘ સહિત શાશ્વતા શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનાર તીર્થની યાત્રાકરી હતી. ભરત મહારાજાએ શત્રુંજય મહાતીર્થની યાત્રા કર્યા બાદ વિશેષ લાભને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી શ્રી સંઘ સાથે શાશ્વતા શ્રી ગિરનાર મહાતીર્થ તરફ ચાલ્યા.

વધુ વાંચો

ગજપદ કુંડ

ભરત મહારાજાએ ગિરનાર ગિરિવર પર નેમિનાથ પરમાત્માની ગણધર ભગવંતો પાસે પ્રતિષ્ઠા કરાવી તે સમયે હર્ષથી પ્રેરાયેલા ઇન્દ્ર મહારાજા ઐરાવણ પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથપ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં ઐરાવણના એક બળવાન ચરણ વડે પૃથ્વીને દબાવીને ઇન્દ્રે પ્રભુના પૂજનને માટે ગજેન્દ્રપદ નામનો એક કુંડ બનાવ્યો. તે કુંડનાં ત્રણ નામ પ્રખ્યાત છે, ગજેન્દ્રપદ કુંડ, હાથીપગલાં કુંડ અને ગજપદ કુંડ.

વધુ વાંચો

રત્નાશા શ્રાવક

એકવાર નેમિનાથપ્રભુના સમવસરણમાં નેમિનાથપ્રભુને ઇન્દ્ર મહારાજાએ અંજલી જોડી નમસ્કાર કરી પૂછ્યું કે, “હે સ્વામી! વરદત્તગણધર ભગવંત ક્યા પુણ્યથી ગણધર ભગવંત થયા છે?” ત્યારે ભવ્યજીવોના ઉપકાર માટે ફરમાવ્યું કે, “ગતઉત્સર્પિણીમાં ત્રીજા સાગર નામના તીર્થંકર પરમાત્મા કૈવલ્યલક્ષ્મીને ધારણ કરીને ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં હતા. અન્યદા તે પરમાત્માએ દેશનામાં ચૌદ રાજલોક અને મોક્ષ સંબંધી સ્વરુપ જણાવ્યું.

વધુ વાંચો

સજજન મંત્રી

Dank wechselbarem Griff.
Neuer Look im Handumdrehen.

પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૧૭૦માં સોરઠદેશ ઉપર ચઢાઇ કરી. રા’ખેંગારને હરાવીને જીવતો પકડી પાંજરામાં પૂર્યો. રા’ખેંગાર મૃત્યુ પામ્યો તે સમયે મહારાજા સિદ્ધરાજે બાહડ મંત્રીનાં કહેવાથી સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રનો દંડનાયક બનાવ્યો. પ્રભાવશાળી, પ્રજ્ઞાવાન અને દિર્ઘદ્રષ્ટા સજ્જનમાં કાર્ય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાથી તેણે ખૂબજ ટૂંકા ગાળામાં સોરઠની પ્રજાનો સ્નેહ સંપાદન કરી લીધો.

વધુ વાંચો

મહારાજા કુમારપાળ

એકવાર કુમારપાળ મહારાજા પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ભગવંતની નિશ્રામાં છ’રિ પાલિત સંઘ સહિત ગિરનાર અને શત્રુંજયની યાત્રાર્થે નીકળ્યા. ખૂબજ જાહોજલાલી પૂર્વક સંઘ ગિરનારની તળેટીમાં આવ્યો. બીજા દિવસે આચાર્ય ભગવંત સાથે કુમારપાળ મહારાજાએ ગિરનારગિરિ ઉપર આરોહણ કર્યું. તે અવસરે એકાએક કોઈ કારણ વગર પર્વતનો કંપ થયો.

વધુ વાંચો

ગિરનાર લોટરી

Dank wechselbarem Griff.
Neuer Look im Handumdrehen.

ઈ.સ. ૧૮૮૯ માં તળેટીથી માળી પરબ સુધીના પગથિયા સાવ નાબૂદ થઇ ગયા હતા અને માળી પરબથી પહેલીટૂંક (નેમિનાથ દરબાર) સુધીના પગથિયા ધોળાભૂખરા પથ્થરના હતા તે ઘણા જીર્ણ થઇ ઘસાઈ ગયા હતાં. તથા અંબાજીથી આગળના પગથિયા હતા જ નહીં. તે સમયે જુનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ રાજ્ય તરફથી તેનું સમારકામ કરવા વિચાર્યું.

વધુ વાંચો

આચાર્ય નીતિસૂરિશ્વરજી મ.સા.

આ ગિરનારમહાતીર્થની પહેલી ટૂંકના જિનાલયોનો જિર્ણોધ્ધાર કરવાની પૂરેપૂરી આવશ્યકતા હતી તેવા સંજોગોમાં સંવત ૧૯૭૯ની સાલમાં શ્રીમદ્ પ્રાત:સ્મરણીય આચાર્ય ભગવંત શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજા ગિરનાર તીર્થે પધાર્યા. આ તીર્થની સ્થિતી તેમનામાં જોવામાં આવી. તે જોતા જિર્ણોદ્ધારનું કામ કરવાની તેમની પ્રબળ ઈચ્છા થઇ.

વધુ વાંચો

આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી
મ.સા.

Dank wechselbarem Griff.
Neuer Look im Handumdrehen.

જિનશાસનના ઋણની અંશાત્મક મુક્તિ કાજે અનેક શાસનસેવાના કાર્યોમાં પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. વિશેષ પ્રયત્નશીલ હતા. એક વખત જુનાગઢ – ગિરનારજીમહાતીર્થની યાત્રા દરમ્યાન બાવીસમાં શ્રી નેમિનાથપ્રભુના દીક્ષા – કેવલજ્ઞાન કલ્યાણકોની ભૂમિ સાહસ્રામ્રવનની સ્પર્શના કરી અનેરો આનંદ અનુભવ્યો. પરંતુ વર્તમાન ચોવીસીના ૧૨૦ કલ્યાણકો માંથી ભારતના ગિરનારતીર્થમાં આવેલી આ કલ્યાણક ભૂમિઓનું માહાત્મ્ય ભૂસાઈ જતું જણાતા અત્યંત ખેદ અનુભવતા હતા.

વધુ વાંચો
Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.