Change Language

મહાત્મ્ય

GODDESS AMBIKA

Raivatachal (Girnar mountain) was like a jewel of Saurashtra region. To its southern side was a city that was was…

Read More  

GODDESS YAKSHA

There was a pleasant and peaceful villagecalled Sugram on the glorious land of Bharat Kshetra…

Read More  

જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી – જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કંઈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ.

  • ૧. જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકર પરમાત્માના મોક્ષ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨. જ્યાં વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૩. જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકર ભગવંતોના મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૪. જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૫. જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માઓના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૬. જે તીર્થના પ્રભાવે કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૭. જે શત્રુંજયની સમાન શાશ્વતુ અને શત્રુંજયનું પાંચમું સુવર્ણમય શિખર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૮. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના સર્વ સુર, અસુર અને રાજાઓ જેના આકારને પુજે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૯. જે ગિરિના સ્પર્શથી આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૦. જે તીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો પણ આઠ ભવમાં મોક્ષ પદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૧. જે તીર્થની માટીને ગુરુગમયોગથી તેલ અને ઘી સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી સુવર્ણ બંને છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૨. જે તીર્થ ઉપર વસતા જળચર, સ્થળચર અને ખેચર જીવો પણ ત્રણ ભવમાં મુક્તિપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૩. જે તીર્થ ઉપર ન્યાયોપર્જિત ધનથી સુપાત્રદાન દ્વારા ભવોભવ સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૪. જે તીર્થનું ઘરે બેસીને પણ નિત્ય ધ્યાન ધરવાથી ચોથા ભવે મોક્ષપદ મળે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૫. જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળ વડે જિનાર્ચન કરવાથી સર્વ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૬. જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળના પાનથી સર્વ બાહ્ય અને અભ્યંતર રોગો નાશ પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૭. જે તીર્થના અધિષ્ઠાયિકા અંબિકાદેવી (અનેક મહાપુરુષોને સહાય કરનારા) આજે પણ હાજરાહજૂર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૮. દર મહિનાની અમાસના દિવસે અંબિકાદેવી જે તીર્થની સાતે શિખરની પ્રદક્ષિણા આપે છે એવું સાંભળવામાં આવે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૧૯. જે પાવન તીર્થ ઉપર ચૌદ ભવ્ય જિનાલયો બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૦. જે તીર્થની પાવન ભૂમિમાં નેમિપ્રભુના દીક્ષા –કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનનો તીર્થોધ્ધાર કરાવનાર આયંબિલનાં તપસ્વી પ. પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું અંતિમસંસ્કાર સ્થાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૧. જે તીર્થની સેવાથી પાપી જીવો પણ શિવપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૨. અનેક દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે તીર્થમાં નિવાસ કરે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૩. જે તીર્થની સેવાથી મહાપાપી, મહાદુષ્ટ અને કુષ્ટાદિ રોગવાળા જીવો પણ સર્વસુખના ભાજન થાય એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૪. જે તીર્થમાં સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઈચ્છિત ફળને આપનારી રસકૂપિકાઓ રહેલી છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
  • ૨૫. જે તીર્થની ગુફામાં ભૂત – ભાવી અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.